મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ફાટક-મુક્ત - At This Time

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ફાટક-મુક્ત


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ફાટક-મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. ₹54.40 કરોડના ખર્ચે 911 મીટર લંબાઈના આ ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે તેમજ લોકોની સુખાકારીમાં વધારો થવાની સાથોસાથ સાવરકુંડલાના વિકાસની એક નવી દિશા ખુલશે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે સાવરકુંડલા તાલુકામાં ₹27 લાખથી વધુના ખર્ચે નિર્મિત ત્રણ 66 KV સબ સ્ટેશન ઉપરાંત ₹43 લાખના ખર્ચે લીલીયા ગ્રામ પંચાયતના જેટીંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.