સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા બોટાદ એસટી ડેપો ખાતે શેરી નાટક યોજાયું - At This Time

સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા બોટાદ એસટી ડેપો ખાતે શેરી નાટક યોજાયું


(અજય ચૌહાણ દ્વારા)
કહેવાય છે ને કે લોકોના મન સુધી સીધો સંદેશો પહોંચાડવા માટે પરંપરાગત માધ્યમ જ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. ત્યારે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા 'સ્વચ્છ ભારત મિશન'ને વધુ વેગવંતુ બનાવવા અને બોટાદ શહેરને સ્વચ્છ રાખવા અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા બોટાદ એસટી ડેપો ખાતે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરી નાટક થકી લોકોને સ્વચ્છતા જાળવવા અંગે આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એસટી ડેપો સ્ટાફ, સેનિટેશન ટીમ તેમજ મુસાફરો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એસટી ડેપો સ્ટાફ તેમજ સેનિટેશન ટીમ દ્વારા સમગ્ર આયોજન કરાયુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.