ધંધુકા તાલુકાના હરીપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા તાલુકાના હરીપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના હરીપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પર્યાવરણનું સંરક્ષણ કરીને વિસ્તારને લીલોછમ બનાવવાના ઉદેશ્ય સાથે, અમદાવાદ જિલ્લા ના ધંધુકા તાલુકા યુવા ટીમની મદદથી સ્વામી વિવેકાનંદ વન હેઠળ હરીપુરા ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ અભિયાન માં પુર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી ગભરુભાઈ ધંધુકા તાલુકા મહિલા મોરચા ના મંત્રી શ્રી ભાનુબેન તથા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ નાં ધંધુકા નગર સંયોજક જયભાઈ સોમાણી તથા ધંધુકા તાલુકા સંયોજક ભરતભાઈ સોલંકી અને ઉમેશભાઈ કોલાદરાન દ્વારા વૃક્ષો નું રોપાણ કરવા માં આવ્યું.

ચલો આપણે સૌ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરીએ અને ભાવિ પેઢીને હરિયાળો વારસો ભેટમાં આપીએ.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.