વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા -૨૦૨૪"ની ઝૂંબેશ હેઠળ ગાંધીજયંતીની પૂર્વ સંધ્યાએ શિબિરયોજાઈ - At This Time

વિસાવદર કોર્ટમાં “સ્વચ્છતા હી સેવા -૨૦૨૪”ની ઝૂંબેશ હેઠળ ગાંધીજયંતીની પૂર્વ સંધ્યાએ શિબિરયોજાઈ


વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા -૨૦૨૪"ની ઝૂંબેશ હેઠળ ગાંધીજયંતીની પૂર્વ સંધ્યાએ શિબિર યોજાઈ
ન્યાયાધીશશ્રીઓ, વકીલો અને કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં ઉજવણીનામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવાસત્તામંડળ, અમદાવાદની ગાઈડલાઈન મુજબ અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ.શ્રીમાળી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન તથા સૂચના મુજબ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ એક શિબિરનુ વિસાવદર કોર્ટમાં આયોજન કરવામાં આવેલ હતું જેમાં બન્ને ન્યાયાધીશશ્રીઓ તમામ વકીલો, કોર્ટ સ્ટાફ તથા વિસાવદર તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જુદા જુદા વકતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે માહિતી આપવામાં આવેલ હતી.
વિસાવદર કોર્ટના યોજાયેલ "સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" ના કાર્યક્રમમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ ત્રિવેદી સાહેબે મહાત્મા ગાંધીજીનું દ્રષ્ટાંત આપી સૌને સ્વચ્છગ્રાહી અને સ્વચ્છતાના સૈનિક બનવાની અપીલ કરી જણાવેલ કે નામદાર હાઇકોર્ટ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલ છે તે મુજબ આપણે આપણા ઘર,કોર્ટ, ઓફીસ કે ધંધાના સ્થળે તથા દરેક જાહેર જગ્યાએ દરેક વ્યક્તિએ જાતે પોતાની જવાબદારી સમજી પ્રથમથી જ સ્વચ્છતા રાખવી જોઈએ અને જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં આવી ગંદકીથી મચ્છર જન્ય રોગનો ફેલાવો થાય લોકોના આરોગ્ય ઉપર તેની અસર થાય તેમજ લોકોનું આરોગ્ય જોખમાય છે દરેક વ્યક્તિ દ્વારા આ બાબતની કાળજી રખાય તે જરૂરી છે તેમજ આ બાબતે સરકાર કહે તે પહેલાં જ સાફ સફાઈ જાતે જ કરવી જોઈએ તેવું જણાવેલ હતું.જો કે વિસાવદર કોર્ટના ન્યાયાધીશશ્રીઓ દ્વારા કોઈપણ વ્યક્તિ કોર્ટ પ્રિમાઇસીસ માં પાન, માવો કે ગુટખા ખાઈને આવે નહિ તે માટે ખાસ કાળજી રાખવા સતત સૂચનાઓ અપાય છે અને તેના કારણે કોર્ટ અને તેની આસપાસમાં ચોખ્ખાઈ જળવાઈ રહે છે.આ કાર્યક્રમમાં બાર એસોસિએશન ના સિનિયર ધારાશાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી, રાજુભાઇ દવે, અશ્વિનભાઈ દુધરેજીયા, નયન જોશી, વીજય જેઠવા,કમલેશ જોશી,શરદ જોશી,
હરેશ સાવલિયા, મનીષ ડોબરીયા, ભાવેશ રીબડીયા, મહેશ હીરપરા,અતુલ દવે,દિલીપ ધાધલ તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ.જે.લક્કડ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદર કોર્ટની ગણતરી અન્ય સરકારી કચેરીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈ વાળા બિલ્ડીંગ તરીકેની કરવામાં આવે છે,કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફસફાઈ કરવામાં આવે છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે, જે અંગે ન્યાયાધીશશ્રીઓ પણ હરહંમેશ યોગ્ય સૂચનાઓ અને હુકમો કરે છે. વિસાવદર કોર્ટમાં "સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અંતર્ગત વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટીના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઇ મામલતદાર કચેરી,વિવિધ બેંકો તથા અન્ય સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદની ગાઈડ લાઈન મુજબ "સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ" હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય સિવિલ જજ શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન મુજબ જાતે હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે જઈ વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવી સાફ સફાઈ કરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.