15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી - At This Time

15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી


સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે પણ છે અને દાન દક્ષિણા પણ આપતા હોય છે જોકે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા પોલીસે એક આરોપીની અટકાયત કરી મુદ્દા માલ રીકવર કર્યો છે...

સાબરકાંઠાના ગાંભોઈ ના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ રસ્તામાં રોકી ₹100 ની દક્ષિણા માગી હતી જોકે ત્યારબાદ તેમની ₹3,000 ઘીના ડબ્બા પેટે માંગ્યા હતા જે આપતા ચાર સાધુઓએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી સાથોસાથ આરોપીઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈપણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો. જોકે મૃત્યુ થવાના ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ દ્વારા 15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી જો કે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એક ની શોધખોડ હાથ ધરી છે

બાઈટ- વિજય પટેલ, જિલ્લા પોલીસ વડા, સાબરકાંઠા

સામાન્ય રીતે આજની તારીખે હાથી ને સાથે રાખી અલગ અલગ લોકો સાધુના વેશે જીવન નિર્વાહ કરતા હોય છે તેમજ હાથીના જીવન નિર્વાહ ની સાથોસાથ પોતાનું જીવન પણ ગુજારતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી રૂપિયા 30 લાખ અંધશ્રદ્ધા ના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનારા ચાર સામે ફરિયાદ નોંધાય છે સામાન્ય રીતે આવા લોકો અંધશ્રદ્ધા ના નામે લોકોને વૈભવીત કરતા હોય છે તેમજ વયથી પીડિત લોકોને પરિવાર ઉપર અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયાનું બારોબાર કરતા હોય છે જોકે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધાન નિર્મૂલન કાયદો બનાવી હોવા છતાં સાબરકાંઠામાં થયેલો આ બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે

બાઈટ- વિજય પટેલ, જિલ્લા પોલીસ વડા, સાબરકાંઠા

જોકે આગામી સમયમાં આ મામલે ગુજરાત સરકારે અંધશ્રદ્ધા ને દૂર કરવા માટે કાયદાકિય સ્વરૂપ આપ્યું છે જોકે આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી તેમની સામે ઠોસ કાર્યવાહી કરશે તો જ અંધશ્રદ્ધા નો કાયદો ખરા અર્થમાં સાચો સાબિત થશે તે નક્કી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.