દહેગામ ચિલોડા હાઇવે પર સોલંકીપુરા ગામ પાસે રીક્ષા પર ઝાડ પડતા ત્રણ લોકો ના મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zzvrmkqial0kccqj/" left="-10"]

દહેગામ ચિલોડા હાઇવે પર સોલંકીપુરા ગામ પાસે રીક્ષા પર ઝાડ પડતા ત્રણ લોકો ના મોત


દહેગામ ચિલોડા હાઇવે પર અકસ્માતો ના બનાવ બનતા જ હોય છે ત્યારે આજે સોલંકીપુરા પાટિયા પાસે બપોરે બે વાગ્યાં ની આસપાસ ચિલોડા થી દહેગામ આવતી રીક્ષા નંબર GJ18 8342 ઉપર ઝાડ પડવાથી ઘટના સ્થળ પર જ ત્રણ લોકો મુત્યુ પામ્યા હતા. જેમાં દેવી પૂજક હીનાબેન (મગોડી), બારોટ ડાયાભાઇ ભલાભાઈ (મગોડી ), વિપુલ રાજેશભાઈ (વાઘપુર પ્રાંતિજ )નુ ઘટના સ્થળે મુત્યુ પામ્યા હતા.તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર વાહન ચાલકો એ આ રીક્ષા ની અંદર ફસાયેલા લોકો ને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી. દહેગામ ફાયરબીગ્રેડ અને 108 ને ફોન કરતા તાત્કાલિક ધોરણે તેઓ હાજર થઈને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ આ ઝાડ ના વજન થી રીક્ષા નો આખો ભાગ નીચે બેસી જતા ત્રણે લોકો ના મોત થયાં હતા આ બાબતે લોકો એ વન વિભાગ ની બેદરકારી ગણાવી હતી.આ ત્રણ લોકો ના મૃતદેહો ને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવા માં આવ્યા હતા. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો :6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]