કોળી સમાજ યુવા સંગઠન મોટા પીપળવા દ્વારા વિદ્યાર્થી જાગૃતિ અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

કોળી સમાજ યુવા સંગઠન મોટા પીપળવા દ્વારા વિદ્યાર્થી જાગૃતિ અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીયશ્રી આર.સી.મકવાણા સાહેબ (પૂર્વ રાજ્ય મંત્રીશ્રી ગુજરાત ),તથા શ્રી પ્રવીણભાઈ વાળા(કારોબારી ચેરમેન ભાવનગર),શ્રી દુલાભાઈ ભાલિયા(પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત મહુવા),શ્રી પ્રકાશભાઈ ચુડાસમા(નાયબ મામલતદાર રાજુલા),શ્રી બાબુભાઈ જોળીયા (ઉપાધ્યક્ષ ભા.જ.પા),શ્રી મોહનભાઈ મકવાણા (પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મહુવા),શ્રી ધનાભાઈ ધૂંધળવા(તાલુકા પંચાયત સભ્ય બીલડી),શ્રી નરેન્દ્રભાઈ મકવાણા(સામાજિક કાર્યકર),શ્રી વાલજીભાઈ ચુડાસમા(શિક્ષક અમૃતેલ),શ્રી વિજયભાઈ સાકરીયા(શિક્ષક ભુતેશ્વર),શ્રી આણંદભાઈ ધુંધળવા(સરપંચ ગ્રામ પંચાયત બીલડી),શ્રી શાંતીભાઈ સાંખટ(સરપંચ મોટાપીપળવા),શ્રી વિઠ્ઠલભાઈ સાંખટ (કોષાધ્યક્ષ ભા. જ.પા.મહુવા) તેમજ સમાજ અગ્રણીઓએ હાજરી આપી હતી.વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને ગામમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.મોટા પીપળવા પ્રા.શાળા અને મહાદેવ ટ્યુશન ક્લાસ નેસવડના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. કોળી સમાજ યુવા સંગઠન દ્વારા કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર અને શૈક્ષનિક ભેટ ઈનામ સ્વરૂપે આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરાયો હતો. સંગઠનની આ એક ઉમદા કામગીરી પ્રેરણાત્મક બની રહી.આ સમગ્ર કાર્યક્રનું સંચાલન શ્રી ઉમેશભાઈ શિયાળ દ્વારા કરવામાં આવેલ.

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon