મામલદાર આરતીબેન ગોસ્વામી પૂર પીડિત વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની ઉંમરની બાળકીને ગોદડીમાં લપેટીને નીકળી પડ્યાં - At This Time

મામલદાર આરતીબેન ગોસ્વામી પૂર પીડિત વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની ઉંમરની બાળકીને ગોદડીમાં લપેટીને નીકળી પડ્યાં


મામલદાર આરતીબેન ગોસ્વામી પૂર પીડિત વિદ્યાબેન રાજુભાઈ ચુનારાની એક વર્ષની ઉંમરની બાળકીને ગોદડીમાં લપેટીને નીકળી પડ્યાં હતાં.
આણંદમાં સીસ્વા ગામે પૂરથી તારાજી, પરંતુ ગ્રામજનો ઘર છોડવા તૈયાર ન હતા

આણંદના બોરસદ તાલુકાના સીસ્વા ગામમાં મેઘતાંડવને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તારાજી અને જાનહાનિ થઇ. ત્યારે સાચા લોકસેવક નજરે ચઢ્યા. અહીંના મામલતદાર આરતીબેન ગોસ્વામી જાતે પૂરગ્ર્સ્તોની વ્હારે આવ્યા હતા. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચના થી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહી સલામત હાઇસ્કૂલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon