જી.સી.ઈ.આર.ટી .ગાંધીનગર પ્રેરિત અને ડાયટ સુરેન્દ્રનગર - At This Time

જી.સી.ઈ.આર.ટી .ગાંધીનગર પ્રેરિત અને ડાયટ સુરેન્દ્રનગર


માર્ગદર્શિત બી.આર.સી ભવન થાનગઢ આયોજીત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા નું આયોજન શાળા નંબર 15 થાનગઢ ખાતે કરવામાં આવ્યું. નિપુણ ભારત મિશન આધારિત વાર્તા કથન/લેખન સ્પર્ધા દ્વારા બાળકોમાં કલ્પના શક્તિ અને ભાવવિશ્વ વિકસે તે આશય થી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા ને ક્રમશ 500 રૂપિયા,300 રૂપિયા,200 રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ હતા.તેમજ ભાગ લીધેલા તમામ બાળકોને ₹100 રૂપિયા તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા . કાર્યક્રમને સફળ બનાવવા બી. આર .સી પ્રિયંકકુમાર એમ કોષ્ટી, સી. આર. સી લલીતભાઈ ,પીનલબેન તેમજ શાળા પરિવારે સફળ પ્રયત્ન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image