દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર શ્રી આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zp4y571fgxo0ehcb/" left="-10"]

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર શ્રી આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા


દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર શ્રી આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા
-------
શ્રી મુકેશભાઈ અને શ્રી આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા

સોમનાથ 18 ફેબ્રુઆરી 2023

મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન શ્રી આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી મુકેશભાઈ અંબાણી અને શ્રી આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે શ્રી મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ શ્રી મુકેશભાઈ અંબાણી દ્વારા શ્રી સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]