જસદણના બજરંગનગર વેકરીયાચોક માં વીજ કંપની દ્વારા મોતનો માંડવો તૈયાર: કોઈ દુર્ઘટનાની રાહ જોતું વીજ તંત્ર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સતત અવરજવર વાળા વિસ્તાર બજરંગનગર વેકરીયાચોકમાં ઘણાં સમયથી લોકોને વીજ કનેક્શન આપેલ વીજતાર હવામાં લટકતાં હોવાથી સહેજ પવનમાં પણ તિખારા પડે છે ભારે ટ્રાફીકથી ધમધમતાં આ રોડ પર લાંબા સમયથી સ્થાનિકોએ વીજતંત્રને ફરીયાદ કરી હોવા આ મોતનો માંડવો દુર કરવાની સહેજ પણ નવરાશ તંત્ર પાસે નથી વેકરીયા ચોકમાં વીજતાર સાવ નીચે લબડે જરૂર છે એક જોરદાર વંટોળની તો જબરજસ્ત દુર્ઘટના સર્જાઈ શકે એમ છે પણ વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓના પેટનું પાણી હલતું નથી અઠવાડિયામાં ચાર દિવસ રીપેરીંગના બહાને વીજ કાપ મુક્તુ વીજતંત્રને આ તાર નીચા છે તેને મજબુત કરવાનું કેમ સુઝતું નથી? કે પછી તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે ત્યારે આ વિસ્તારના લોકોએ નીચે નમેલા વીજતારને તાત્કાલિક ઉંચા કરવાની માંગ ઊઠાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.