ધંધુકા સુરત ડભોલી એસટી બસને પુનઃ શરૂ કરવા ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભીની માંગ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/za3mmx0m8ivqacxs/" left="-10"]

ધંધુકા સુરત ડભોલી એસટી બસને પુનઃ શરૂ કરવા ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભીની માંગ.


અમદાવાદ જીલ્લાના ધંધુકા સુરત ડભોલી એસટી બસને પુનઃ શરૂ કરવા ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભીની માંગ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા એસટી વિભાગના ધંધુકા ડેપો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ધંધુકા સુરત ડભોલી એસટી બસ સેવા શરૂ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બસને ડભોલી ની જગ્યાએ વલસાડ સુધી લંબાવવામાં આવી છે તેથી લોકોમા ભારે રોપ જોવા મળી રહ્યો છે. ડભોલી ખાતે સ્વામિનારાયણ મંદિર આવેલું છે તથા ધંધુકા ધોલેરા રાણપુર અને બરવાળા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ડભોલી આજુબાજુ વસવાટ કરે છે તેથી આ એસ ટી બસ જરૂરિયાત અને મધ્યમવર્ગના લોકો માટે આશિર્વાદ રૂપ હતી પરંતુ નિગમના જવાબદાર અધિકારીઓ દ્વારા આ એસટી બસને ઈરાદાપૂર્વક વલસાડ લંબાવી દેવામાં આવતા લોકો માં રોષ જોવા મળી રહયો છે. આ અંગે ધંધુકા ના ધારાસભ્ય સમક્ષ મોટી સંખ્યામાં આ બસને શરૂ કરવા માટે રજૂઆત થતાં ધંધુકા ના ધારાસભ્ય કાળુભાઇ ડાભી દ્વારા ધંધુકા સુરત ડભોલી એસટી બસને પુનઃ જૂના શિડ્યુલ મુજબ શરૂ કરવા વિભાગીય નિયામક એસટી અમદાવાદ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]