ગૌસેવા સમિતિ દ્વારા ગોંડલ શહેર તથા તાલુકા ખાતે ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ સરકાર દ્વારા અપાતી પશુદીઠ રૂ ૩૦ મળે છે જે અપૂરતા હોવાથી *રૂ ૧૦૦ કરી આપવા* માંગણી કરતું આવેદન પત્ર પાઠવ્યું….બ્રિજેશ વેગડા - At This Time

ગૌસેવા સમિતિ દ્વારા ગોંડલ શહેર તથા તાલુકા ખાતે ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ સરકાર દ્વારા અપાતી પશુદીઠ રૂ ૩૦ મળે છે જે અપૂરતા હોવાથી *રૂ ૧૦૦ કરી આપવા* માંગણી કરતું આવેદન પત્ર પાઠવ્યું….બ્રિજેશ વેગડા


ગોંડલ તા ૮/૭/૨૦૨૪
ગૌસેવા સમિતિ ગોંડલ શહેર તથા તાલુકા દ્વારા ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ સરકાર દ્વારા અપાતી પશુદીઠ રૂ ૩૦ મળે છે જે અપૂરતા હોવાથી *રૂ ૧૦૦ કરી આપવા* માંગણી કરતું આવેદન પત્ર *ગોંડલ મામલતદાર ભટ્ટ સાહેબ , ધારાસભ્ય ગીતા બા જાડેજા* તેમજ ઉચ્ચ કક્ષા એ *મુખ્યમંત્રી , નાણાં મંત્રી , પશુપાલન મંત્રી અને ગૌસેવા બોર્ડ* ને રૂબરૂ તથા પોસ્ટ દ્વારા ગોંડલ ની અગ્રણી સંસ્થાઓ *શ્રી રામગરબપુ ગૌસેવા ટ્રસ્ટ ના જયકરભાઈ જીવરાજાની, કિશોર યુવક ગૌસેવા ટ્રસ્ટ ના ગોપાલભાઈ ટોળીયા , ગૌમાંડળ ગૌસેવા ટ્રસ્ટ ના ગોરધનભાઈ પરડવા બાપા સીતારામ ટ્રસ્ટ ના રાજભા ગુંદાળા રામજી મંદિર ટ્રસ્ટ* જેવી અનેક અગ્રણી સંસ્થાઓ ઉપસ્થિત રહી રજુઆત કરવામાં આવી હતી
હાલ અસહ્ય મોંઘવારી હોય ત્યારે *લીલોચારો ૧૨૦ રૂ માં ૨૦ કિલો સુકોચારો ૨૦૦ રૂ ગોળ ખોળ ૧૦૦૦-૧૫૦૦ જેવો ભાવ છે* આ ભાવ ને જોઈ તો પશુદીઠ દરરોજ આશરે ૧.૫ થી ૨ મણ ખવડાવું પડે *જેનો ખર્ચ આશરે ૨૦૦ જેવો આવે છે* એની સાથે સફાઈ ખર્ચ વાહન ખર્ચ દવા ખર્ચ અલગ !! આ સમસ્યા માત્ર ગોંડલ તાલુકા નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય ની ગૌશાળા પાંજરાપોળ ની છે રખડતા ઢોરો ને સંસ્થા ને સોંપવામાં આવે છે પરંતુ તેના દેખરેખ માટે જે સુવિધા અને ખર્ચ થઈ તેના પર પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે તેથી વેહલી તકે અન્ય રાજ્ય ની જેમ ગુજરાત માં પણ દરેક ગૌશાળા ની આ માંગ પશુદિથ *કમસેકમ ૧૦૦ રૂ* જેટલી રકમ સબસિડી આપવા રજુઆત કરવામાં આવી હતી । બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.