ચોટીલામાં ગણેશ ઉત્સવ નિમિતે 700 જેટલા ભક્તજનો ગણેશજીનો પ્રસાદ ગ્રહણ કર્યો - At This Time

ચોટીલામાં ગણેશ ઉત્સવ નિમિતે 700 જેટલા ભક્તજનો ગણેશજીનો પ્રસાદ ગ્રહણ કર્યો


વિક્રમસિંહજાડેજા. ચોટીલા

ચોટીલાના થાનરોડ,પોલીસ સ્ટેશન,રામચોક સહિત વિવિધ વિસ્તારોમાં હાલ ગણેશજી ની મૂર્તિનું સ્થાપન કરીને સવાર સાંજ આરતી ભક્તજનો દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે નવ માં દિવસે થાનરોડ પર આવેલ બાલા ગણેશજી ના પાંડાલ ના મિત્ર મંડળ દ્વારા તેમના વિસ્તારના રહેતા શહેરીજનો ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોટીલાના થાનરોડ પર આવેલ રાજેશ સમોસા વાડી શેરીમાં બાળકો દ્વારા સ્થાપિત ગણેશ ઉત્સવ પ્રસંગે ઠાકરશીભાઈ સહિત શેરીમાં વસવાટ કરતા લોકોના સહયોગથી સાંજની આરતી બાદ આશરે 700 જેટલા લોકોએ મહા પ્રસાદ ગ્રહણ કરીને પવિત્ર મય બન્યા હતા..


9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.