ખેરોજ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી., - At This Time

ખેરોજ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,


લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે સાબરકાંઠા જીલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.નં-૩૯૫ તથા અ.પો.કોન્સ.પંકજકુમાર કાંતીલાલ બ.નં-૮૯૬ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે ખેરોજ સ્ટેશન પાર્ટે એ.ગુ.ર.નં-૧૧૨૦૯૦૦૩૨૩૦૪૨૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૬૫,૩૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અજીતકુમાર લક્ષ્મણભાઈ સોલંકી ઉ.વ.-૨૩ રહે.નેલાઉ તા. વિજયનગર જી. સાબરકાંઠાવાળો હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી (૧) અ.હે.કોન્સ. રમણભાઈ સુકાજી

(૨) અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ

(૩) આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ

(૪) આ.પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઈ

(૫) અ.પો.કોન્સ.પંકજકુમાર કાંતીલાલ

(૬) ડ્રા.પો.કોન્સ. સુનિલકુમાર જયંતિલાલ

રિપોર્ટર હસન અલી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.