અમદાવાદના સાણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઈદ-ઉલ-અજહાની ઉત્સાહભેર ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yhucotie9uxcbprl/" left="-10"]

અમદાવાદના સાણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઈદ-ઉલ-અજહાની ઉત્સાહભેર ઉજવણી


ગુજરાત સહિત સમગ્ર ભારત દેશ ભરમા આજે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ અજહાં એટલે કે બકરી ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે એખલાસ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે સાણંદ વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારોએ વિરોચનનગર મુકામે ઇદગાહ ખાતે સવારે 7:30 કલાકે ઈદ-ઉલ-અજહાની નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી

જો વાત કરીએ તો બકરી ઇદના તહેવારની વિશેષતા વિશે તો આ દિવસ મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ મહત્વનો ગણાય છે કારણ કે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મહંમદ સાહેબના ઉદ્દેશથી દરેક મુસ્લિમ સમાજે બકરી ઈદના તહેવારની ઉજવણી કરવી જોઈએ અને આ પર્વમાં શાંતિ સલામતી સમર્પણ ભાઈચારો અને કોમી એકતા જેવા બે નમૂન ઉદાહરણ પૂરું પાડે છે

નાના નાના બાળકોથી લઈને મોટી વયના મુસ્લિમ બિરાદરો સામૂહિક ઇદગાહમાં ઈદની નમાઝ અદા કરી હતી અને કોમી એકતા માટે વિશ્વમાં સમગ્ર માનવસૃષ્ટિ માટે શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ખુદા પાસે ખાસ દુઆ કરી હતી

ઇસ્લામ ધર્મની અંદર ખૂબ જ પવિત્ર ગણાતા બકરી ઇદના તહેવાર ને સંપૂર્ણ શાંતિમય રીતે ઉજવાયો હતો

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]