લીલીયામોટા ના પૂંજાપાદર ગામે રહેણાંકી મકાન માં લાગી આગ - At This Time

લીલીયામોટા ના પૂંજાપાદર ગામે રહેણાંકી મકાન માં લાગી આગ


લીલીયા તાલુકા ના પૂંજાપાદર ગામે રહેણાંકી મકાનમાં આગ લાગી જેમાં પૂંજાપાદરના રામજી મંદિર નજીક આવેલ મકાનમાં આગ લાગેલ
પૂંજાપાદરના ભાવનાબેન મહેશભાઈ ચરણદાસ ના રહેણાંકી મકાનમાં આગ લાગતાં ઘર વખરી બળી ને ખાખ થઈ હતી જ્યારે જાણવા મળેલ વિગત માં
મંદિરમાં રાખેલા અખંડ દીવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ઘર ધણી એ જણાવેલ આગ લાગવાની જાણ અમરેલી ફાયર વિભાગ ને કરાતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કાર્યવાહી શરૂ કરેલ અને આગ પર કાબુ મેળવેલ આ કામગીરી માં ફાયર ટીમ ના આનંદભાઈ જાની,સાગરભાઈ પુરોહિત,ધવલભાઈ ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવેલ આગ લાગવાથી કોઈ જાન હાની ન થતા હાશકારો આગ ની જાણ થતાં લોકો ના ટોળા ઉમટ્યા તેમજ આજુ બાજુ ના રહીશો દ્વારા આગ ઓલવવા ની કામગીરી માં મદદ રૂપ બનેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image