આજીવન કેદની સજા ભોગવતા ચૌદ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ - At This Time

આજીવન કેદની સજા ભોગવતા ચૌદ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ


આજીવન કેદની સજા ભોગવતા ચૌદ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ સાબરકાંઠા નાઓની પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી નાસી જતાં અને જેલમાં પાછા ન ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના કરતાં જે આધારે શ્રી.એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.સ.ઇ શ્રી એન.આર.ઉમટ એલ.સી.બી. સ્ટાફને સુચના અને ગાઇડલાઇન પુરુ પાડેલ જે આધારે પોશીના પો.સ્ટે.ફ.ગુ.ર.નં .૧૧૦ / ૨૦૦૨ ઇ.પી.કો કલમ -૩૦૨ મુજબના કેદી માલીયાભાઇ અંજાભાઇ ગમાર ઉ.વ.આ .૪૨ રહે.કલછાવાડ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા મુળ રહે - ચંદ્રાણા , તા.પોશીના જી.સાબરકાંઠા વાળાને આજીવન કેદની સજા થતાં જે બાબતે એલસીબી સ્ટાફના અ.પો.કો વિરેન્દ્રકુમાર અમૃતભાઇ બ.નં .૫૪૨ નાઓને મળેલ બાતમી હકિકત આધારે પરોલ ફર્લો સ્કવોડ એલસીબી હિંમતનગરના એ.એસ.આઇ ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ રજુસિંહ તથા અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો જશુભાઇ તથા આ.પો.કો. નીરીલકુમાર તથા અ.પો.કો ગોપાલભાઇ તથા અ.પો.કો મિતરાજસિંહ તથા આ.પો.કો રાજેશભાઇ વિગેરે સ્ટાફના માણસો સાથે આજરોજ પોશીના ખાતે જઇ પકડી પાડી કોવીડ -૧૯ ટેસ્ટ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોપવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon