ઉપલેટાની ખ્યાતનામ નવયુગ ગરબી મંડળની બાળાઓએ જુનાગઢ રોપવે તળેટીએ ખાતે ગરબાની રમઝટ બોલાવી - At This Time

ઉપલેટાની ખ્યાતનામ નવયુગ ગરબી મંડળની બાળાઓએ જુનાગઢ રોપવે તળેટીએ ખાતે ગરબાની રમઝટ બોલાવી


ગરબાની રમઝટમાં જુનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતિ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ જુન ૨૦૨૨, ઉપલેટામાં છેલા અંદાજીત ૪૫ વર્ષથી ચાલતી જૂની અને ખ્યાતનામ એવી નવયુગ ગરબી મંડળની બાળાઓએ જુનાગઢ ખાતે ગીરનારમાં આવેલ માં અંબા માતાજીના દર્શન કરવા ગયેલ હતા ત્યારે રોપવેના અધિકારીઓ દ્વારા રાસ-ગરબા રજુ કરવા આગ્રહ કરેલ હતો ત્યારે રોપવે સતેજ ઉપર ગરબીની બાળાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે આ તકે જુનાગઢના લોકપ્રિય મેયર શ્રીમતી ગીતાબેન પરમાર તથા રોપવેના અધિકારીઓ અને કર્મચારીઓએ ખાસ ઉપસ્થિત રહીને આ રાસ-ગરબાને શ્રધ્ધાપૂર્વક મોજ માણેલ હતો જે બાદ મેયરે તેમજ રોપવેના અધિકારીઓ દ્વારા બાળાઓના આ સુંદર રસને બિરદાવ્યો પણ હતો ત્યારે આ તકે નવયુગ ગરબી મંડળની બાળાઓ તેમજ તેમના સંચાલકો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વિત/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon