અમરેલી નજીક આવેલા દેવળીયા ગામમાં "વાવ"ના ખોદકામ દરમ્યાન"ભવ્ય મંદિર ના અવશેષો મળી રહ્યા છે. - At This Time

અમરેલી નજીક આવેલા દેવળીયા ગામમાં “વાવ”ના ખોદકામ દરમ્યાન”ભવ્ય મંદિર ના અવશેષો મળી રહ્યા છે.


તા.૨૧ જુન ૨૦૨૨:-અમરેલી નજીક આવેલા દેવળીયા(ચક્કર ગઢ)ગામમાં એક વાવ આવેલી છે. જાગૃત નાગરિક નાથાલાલ સુખડીયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાવ ના પગથિયાં બિસ્માર થયેલ હોય ગ્રામ પંચાયત દેવળીયા ના સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયા દ્વારા આ વાવ ની મરમ્મત કરવાની સુચના આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આ રિપેરિંગ કામગીરી દરમ્યાન થયેલા ખોદકામ માં આ વાવ માં કોઈ પૌરાણિક ભવ્ય મંદિર માં હોય તેવા અવશેષો મળી આવતા ગ્રામ પંચાયત દ્વારા વધુ કામગીરી કરવામાં આવી રહી છે.
મળતી જાણકારી મુજબ આ કોઈ પૌરાણિક મંદિર હોય તેવું પ્રથમ દ્રષ્ટ્યા લાગી રહ્યું છે, ત્યારે આ સ્થાન નું પૌરાણિક મહત્વ શું છે તેની તપાસ પુરાતત્ત્વ વિભાગ દ્વારા થાય અને તેનો વિકાસ થાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

રિપોર્ટ :-અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon