મેંદરડા સ્થિત સાસણ રોડ પર આવેલ શ્રી ગાયત્રી વિનય મંદિર શાળાએ વર્ષ ૨૦૨૨ નું ધોરણ ૧૦ નું ઉત્કૃષ્ટ ૮૨.૭૦ ટકા પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસ જોવામાં આવ્યો છે - At This Time

મેંદરડા સ્થિત સાસણ રોડ પર આવેલ શ્રી ગાયત્રી વિનય મંદિર શાળાએ વર્ષ ૨૦૨૨ નું ધોરણ ૧૦ નું ઉત્કૃષ્ટ ૮૨.૭૦ ટકા પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસ જોવામાં આવ્યો છે


મેંદરડા શ્રી ગાયત્રી વિનય મંદિર નું ઝળહળ તું ૮૨.૭૦ ટકા પરિણામ.
સ્વ શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ મેંદરડા ના સ્વ શ્રી મકવાણા અમરાભાઇ માણસુરભાઈ એજ્યુ ચેરી ટ્રસ્ટ મેંદરડા સંચાલિત શ્રી ગાયત્રી વિનય મંદિરે માર્ચ ૨૦૨૨ માં લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૮૨.૭૦ ટકા પરિણામ લાવી ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે,શાળામાં પ્રથમ સ્થાન ધાધલ અપેક્ષા જયેન્દ્રભાઈ દ્વિતીય સ્થાન હડિયા ખુશાલી વિસામણભાઈ, તૃતિય સ્થાન ચાંડેગરા હેતવી પરેશભાઈ એ ટોચના સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારે છે આ સંસ્થાના આદ્યસ્થાપક સ્વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઇ એ દરેક સમાજના ભાઈઓ તથા બહેનો ને ઉચ્ચ શિક્ષણ મેળવે તેવા આશયથી શરૂ કરેલ શ્રી ગાયત્રી વિનય મંદિર શાળાએ ઉચ્ચ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવી છે શાળા એ જ્વલંત પરિણામ મેળવવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કૃષ્ણકુમાર એભલભાઈ મકવાણા આચાર્ય મનોજભાઈ કથીરિયા એ વિદ્યાર્થીઓ વાલીઓ તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલ છે
રીપોર્ટીંગ-: કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon