સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું - સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે સૌપ્રથમ ધ્વજા પૂજા અને સોમનાથ મહાદેવની પાલખી નું પૂજન કરી મંદિરમાં શોભાયાત્રા કાઢવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xdisyjmgsvfmuqnl/" left="-10"]

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું ——– સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે સૌપ્રથમ ધ્વજા પૂજા અને સોમનાથ મહાદેવની પાલખી નું પૂજન કરી મંદિરમાં શોભાયાત્રા કાઢવામાં આવી


સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર માનવ મહેરામણ ઉમટ્યું
--------
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે સૌપ્રથમ ધ્વજા પૂજા અને સોમનાથ મહાદેવની પાલખી નું પૂજન કરી મંદિરમાં શોભાયાત્રા કાઢવામાં આવી
--------
બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 25000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
--------
સોમનાથ મારુતિ બીચ પર ઇતિહાસમાં પ્રથમ વખત પંચમહાભૂત નો અનુભવ કરાવતી પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવી

ભજન ભોજન અને ભક્તિનો આધ્યાત્મ ધોધ સોમનાથની ભૂમિને કરી રહ્યો છે પાવન

સોમનાથ 18 ફેબ્રુઆરી 2023

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ આગું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટીઓ છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરી કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટીશ્રી પી.કે લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી. યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીશ્રીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.

ઐતિહાસિક પાર્થેશ્વર પૂજન:

સોમનાથ તીર્થના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી પાર્થિવ શિવલિંગ પૂજા પાર્થેશ્વર પૂજન સ્વરૂપે સમુદ્ર તટે યોજવામાં આવી હતી. પાર્થેશ્વર પૂજામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે લહેરી, સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત 200 થી વધારે શ્રદ્ધાળુઓ શિવપાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. આ પૂજા ઐતિહાસિક એટલા માટે બની હતી કારણ કે પૂજામાં એક ગ્રામ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પાત્રોથી લઈને થેલી, પૂજાના દ્રવ્યો તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ ની બનાવવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટી સમગ્ર સોમનાથ તીર્થ નિર્મલ બનાવવા નિર્મલ સોમનાથનો સંકલ્પ કરાવ્યો હતો. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે જેમાં આવડું મોટું પૂજન થયા બાદ પણ એક પણ સફાઈ કર્મીએ નીચેવાળી અને કચરો એકઠું કરવાની જરૂર નહોતી પડી. આટલી સ્વચ્છતા પૂજા કરનાર ભક્તો દ્વારા રાખવામાં આવી હતી.

મધ્યાહન સુધીમાં અંદાજિત 25,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અને ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છે જેમને સતત 42 કલાક મંદિર ખુલ્લું રેહવાને કારણે સરળતાથી દર્શન થઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]