માંગરોળ તાલુકાના લોએજ ગામમાં સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના સ્વ.રાણીબેન અરજનભાઈ સોલંકી (ઉ.વર્ષ.૭૫),કે જેઓ પુંજાભાઈ અરજનભાઈ સોલંકી(Ex.Army)ના માતૃશ્રી થાય છે. જેમનું તા.૧૨-૦૮-૨૦૨૨ ને શુક્રવાર,શ્રાવણ સુદ પુનમના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી લોએજ ગામના સામાજીક અગ્રણી અને શિવમ્ ચક્ષુદાન આરેણાને હંમેશા સાથ સહકાર આપનાર શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા શ્રી રાજેશભાઈ સોલંકી(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ),ધર્મેશભાઈ ચાંડેરા તેમજ રાણાભાઈ ચાંડેરા
દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તેમજ આજના ચક્ષુનો સ્વિકાર ગૌતમભાઈ ભાદરકા અને અજયભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક,C/O ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.

આજના ચક્ષુદાન સમયે શ્રી ગોવિંદભાઈ નંદાણિયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

સોલંકી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને રાણીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

સોલંકી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ રાણીબેનના આત્માને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon