આજે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિહોરમાં અનિયમિત અને ફિલ્ટર વગરનું પાણી વિતરણ અંગે પ્રતીક ઉપવાસ યોજાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wtzuakizehif211y/" left="-10"]

આજે શિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિહોરમાં અનિયમિત અને ફિલ્ટર વગરનું પાણી વિતરણ અંગે પ્રતીક ઉપવાસ યોજાયા


સિહોર શહેર માં છેલ્લા કેટલાક મહિનાથી દુર્ગંધયુક્ત અને અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે સિહોરના અનેક વિસ્તારની મહિલાઓ છાશવારે પાલિકામાં પાણી પ્રશ્ને ફરિયાદ કરવા આવે છે તથા સિહોર કોંગ્રેસ દ્વારા પણ અવાર નવાર પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર ને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ના લાવતા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર ના લોકોને નિયમિત અને ફિલ્ટર કરેલુ પાણી મળે તે માટે આજેસવારના ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી આંબેડકર ચોક ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો
આ પ્રતિક ઉપવાસ માં સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિહ ગોહિલ કિરણભાઇ ઘેલડા ધીરૂભાઇ ચૌહાણ કિશનભાઇ મહેતા કેતનભાઇ જાની કરીમભાઇ સરવૈયા ચેતન ત્રિવેદી છોટુભા રાણા રહીમ મહેતર કીરીટસિહ મોરી ધવલ પલાણીયા રાજુ ગોહિલ ઇશ્વરભાઇ નમસા દિનેશભાઇ પટેલ માનશંગ ડોડીયા વિગેરે જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]