સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૨૨ મી જૂન નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. - At This Time

સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૨૨ મી જૂન નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.


સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં તા.૨૨ મી જૂન નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૪ ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૧૫૨૩ કેસોનો સમાધાનથી નિકાલ.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૨૨.૦૬.૨૦૨૪ નારોજ વર્ષ-૨૦૨૪ ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ અત્રેના સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે. આર. રબારી સાહેબ તથા સચિવ શ્રી પી. કે. ગઢવી સાહેબનાઓની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૨૨ મી જૂન ૨૦૨૪ નારોજ રાષ્ટ્રીય લોકઅદાલત નું આયોજન કરાયેલ જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી તેમજ વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલત ને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું.
જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૨૯ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૧,૯૦,૯૮,૦૦૦/- નું વળતળચૂકવવાનો આદેશ કરવામાં આવેલ. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૫૦૯૬ કેસો, રકમ રૂ. ૩૬,૨૮,૫૦,૮૧૬.૭૦ ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૬૪૨૭ કેસો, રકમ રૂ.૩,૧૮,૯૬,૫૦૯.૭૮ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.