ભેસાણ મામલતદારકચેરીમાં દલિત સમાજ ના સામાજિક કાર્યકરો દ્વારા આત્માવિલોપન નો પ્રયાસ - At This Time

ભેસાણ મામલતદારકચેરીમાં દલિત સમાજ ના સામાજિક કાર્યકરો દ્વારા આત્માવિલોપન નો પ્રયાસ


જૂનાગઢ ના ભેસાણ ની મામલતદાર કચેરી મા દલિત સમાજ બે સામાજિક કાર્યકરો દ્વારા કેરોસીન છાટી આત્મવિલોપન નો પ્રયાસ ભેસાણ તાલુકા માં જેસીંગભાઇ શામજીભાઈ પન્ના એમના સો ચોરસ વાર પ્લોટ અને ખેતી લાયક જમીન હોઈ એમાં ભૂમાફિયા દ્વારા કરવામાં આવતા ખાડા અને પેશકદમી દૂર કરવી અને અનુસૂચિત જાતિના સરપંચો ને હોદ્દા ઉપર થી દૂર કરવા અને ચાર મહિના પહેલા બનેલી ઘટના ની પોલીસ દ્વારા ફરિયાદ ના લેવી એવા પ્રશ્નને લઈને છેલ્લા સાત દિવસ થી મામલતદાર ઓફિસ સામે પ્રતીક ઉપવાસ આંદોલન ઉપર બેઠા હોઈ ત્યારે આજ સાત દિવસ થયા છતાંય ભેસાણ મામલતદાર અને ટીડીઓ અને પોલીસ દ્વારા કોઈપણ જાતનો લેખિત કે મૌખિક જવાબ ના મળતા આજે મજબૂરી વશ મેં વિકી સાસિયા અને સાથી મિત્ર રોહિત સોલંકી એ ભેસાણ મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા પ્રયત્ન કરેલ પણ ભેસાણ પોલીસે અમારી અટકાયત કરેલ છે

હજુ પણ જો આ પ્રશ્ન નુ સોલ્યુશન નહિ થાય તો આજે તારીખ - 22/09/2022 ના રોજ સાંજે બીજો કૉલ આપીશું અને જીવ આપીને પણ
સોલ્યુશન ના આવે ત્યા સુધી લડત આપસૂ તેવી ચીમકી ઉંચારી છે

રિપોર્ટ કાસમહોથી ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon