આજ રોજ હિંમતનગર નગરપાલિકા ખાતે બજરંગ દળ દ્વારા અવૈધ ચાલતી માસ મટન ની હાટડીઓ બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

આજ રોજ હિંમતનગર નગરપાલિકા ખાતે બજરંગ દળ દ્વારા અવૈધ ચાલતી માસ મટન ની હાટડીઓ બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું


પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 27/5/24 ને સોમવારે હિંમતનગર નગરપાલિકા ખાતે સાબરકાંઠા જિલ્લા બજરંગ દળ ના સભ્યો એકત્રિત થઈ શહેર માં ચાલતા પરવાનગી વગરના કતલખાના અને માસ મટન ની જાહેર માં ચાલતી અવૈધ દુકાનો તેમજ લારીઓ પર પ્રતિબંધ લાવવા માટે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જેમાં બજરંગ દળ સંયોજક રાજુભાઈ માલવિયા શિખરભાઈ ભાટ બજરંગ દળ વિભાગ સંયોજક હિતેશભાઈ જાની અધ્યક્ષ મનહરભાઈ સુથાર તથા જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલ તથા બજરંગ દળ સંયોજક મુન્નાભાઈ ગવારીયા અને બજરંગ દળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વારંવાર આવેદનપત્ર આપવા છતાં કોઈ પગલાં ન લેવાતા તમામ સભ્યો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો જલ્દી થી કાર્યવાહી હાથ ધરવામાં નઈ આવે તો ઉગ્ર વિરોધ સાથે આંદોલન કરવાની વાત કરી હતી. અને અંતમાં રાજકોટ ખાતે જેમ ઝોન માં થયેલ અગ્નિ કાંડ માં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલી પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.