ધંધુકા તાલુકાના ગલસાણા ગામે મહાદેવજીના મંદિરના શિખર પર વીજળી પડી. - At This Time

ધંધુકા તાલુકાના ગલસાણા ગામે મહાદેવજીના મંદિરના શિખર પર વીજળી પડી.


ધંધુકા તાલુકાના ગલસાણા ગામે મહાદેવજીના મંદિરના શિખર પર વીજળી પડી કોઈ જાનહાની નહીં
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ જીલ્લા ના ધંધુકાના ગલસાણામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અહીયા વરસાદ પડ્યો, જેમા વીજળી મંદિરના શીખર પર પણ પડી હતી.
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામમાં આજે સવારે 8:00 થી 9:00 વાગ્યા ની આસપાસ ધોધમાર પડ્યો હતો. ધોધમાર વરસાદ પડવાના કારણે આકાશમાં પુષ્કળ વીજળી થતાં ગલસાણા ગામના મહાદેવના મંદિર ઉપર વીજળી પડી હતી વીજળી પડતા મહાદેવજી ના મંદિર ના શિખર ઉપર વીજળી પડતા મોટી તીરાડો પડી ગઈ હતી જોકે થોડું નુકસાન થયું છે પણ કોઈ જાનહાનિ થવા પામેલ નથી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon