સુદામડા ની ઉપાસના વિધાલયમાં પ્રિવેન્શન ઓફ સુસાઇટ વિષય ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

સુદામડા ની ઉપાસના વિધાલયમાં પ્રિવેન્શન ઓફ સુસાઇટ વિષય ઉપર જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


સાયલા ના સુદામડા ની ઉપાસના વિધાલયમાં આજે પ્રિવેન્શન ઓફ સુસાઇટ વિષય ઉપર જન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ . શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાથી ભાઈ તથા બહેનોને માનસિક રોગ વિશે માહિતી આપવામાં આવેલ તેમજ માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગના બાળકોને બોર્ડ પરીક્ષા આપતા બાળકોને માનસીક સ્વસ્થ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ –સાયલા દ્રારા આયોજન કરવામાં આવેલ શ્રી સુરસંગભાઈ રાઠોડએ બાળકોને માહિતી આપેલ . કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઝાપડીયા રમેશભાઈ . બી તેમજ પ્રમુખ શ્રી ખવડ શિવકુંભાઇ . એ હાજર રહ્યા હતા . કાર્યક્રને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ હજાર રહ્યાં હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon