તલોદ તાલુકાના દોલપુર ગામના બે ઇસમોનું રાજસ્થાન ના જોધપુર પાસે થયેલ માર્ગ અકસ્માતમા મોત નિપજ્યું - At This Time

તલોદ તાલુકાના દોલપુર ગામના બે ઇસમોનું રાજસ્થાન ના જોધપુર પાસે થયેલ માર્ગ અકસ્માતમા મોત નિપજ્યું


*તલોદ તાલુકાના દોલપુર ગામના બે ઇસમોનું રાજસ્થાન ના જોધપુર પાસે થયેલ માર્ગ અકસ્માતમા મોત નિપજ્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના દોલપુર ગામના બે ઇસમોનું રાજસ્થાન ના જોધપુર પાસે થયેલ માર્ગ અકસ્માતમા મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત ને હિમતનગર ખાતે ઍક ખાનગી હોસ્પીટલ માં સારવાર આપવામા આવી રહીં હોવાનું જાણવા મળે છે
આ અંગે મળતી માહિતી મુજબ તલોદ તાલુકાના દોલ્પૂર ગામનાં પાંચ વ્યક્તિઓ ગત મંગળવાર ના રોજ રણુજા ખાતે દર્શન કરવા માટે પોતાની વેગન આર કાર લઈને જઈ રહ્યાં હતાં તે દરમ્યાન જોધપુર પાસે સામેથી આવી રહેલ અર્ટિગા કાર સાથે ધડાકા ભેર અથડાતાં બલુસિંહ ટક્કર સિંહ ઝાલા ઉ. વ 55 નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર ફતેસિંહ અમરસિંહ ઝાલા ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે જોધપુર જનરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે વનરાજ સિંહ રજૂદિંહ ઝાલા, રાજદીપ સિંહ વિજય સિંહ ઝાલા અને રોહિત સિંહ દીનું સિંહ ઝાલા ને ઇજાઓ પહોંચી હતી જેઓને જોધપુર જનરલ હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધૂ સારવાર માટે હિમતનગર ખાતે આવેલ ઍક ખાનગી હોસ્પીટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અકસ્માત મા મૃત્યું પામનાર બે મૃતદેહ ને જોધપુર જનરલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ વિધી પુરી કરી તેમનાં કુટુંબીજનો ને મૃતદેહ સુપ્રત કરવામાં આવતા બંને મૃતદેહ ને તેમનાં વતન દોલ્પુર ખાતે લાવી અંતિમ વિધી પુરી કરી હતી આમ રણુજા ખાતે દર્શન કરવા માટે ગયેલ દોલપુર ગામનાં બે ઇસમનો અકસ્માત મા મૃત્યું થયું હોવાના સમાચારે સ્મગ્ર પંથકમાં શોક ની લાગણી ફેલાઇ જવા પામી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.