બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પૂનમ ગુરુવાર તા. 08-12-2022ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો. - At This Time

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પૂનમ ગુરુવાર તા. 08-12-2022ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો.


સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા , સવારે 7:00 કલાકે શણગાર આરતી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યુ હતું. સાંજે ૦૪ કલાકે દાદાનું ષોડશોપચાર પૂજન -અર્ચન એવં પુષ્પાભિષેક કરી આરતી કરવામાં આવેલ.દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon