કેશોદમાં વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ - At This Time

કેશોદમાં વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ


કેશોદ આહિર યુવક મંડળ દ્વારા ફરસાણ મીઠાઈનું જરૂરતમંદ પરિવારોને કર્યું વિનામૂલ્યે વિતરણ 

 કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું

કેશોદ તાલુકાનાં અખોદર સરોડ નાની ઘંસારી ગામ સહીત આહિર યુવાનો દ્વારા  જહેમત ઉઠાવી ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી પેકીગ કર્યું હતું  કેશોદ શહેરમાં આહિર યુવક મંડળ દ્વારા છેલ્લાં અગીયાર વર્ષથી દર વર્ષે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે જે અન્ય સમાજને પ્રેરણા પુરી પાડે છે. કોરોના મહામારી પછી આવેલી વૈશ્વિક મંદી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને તહેવારો દરમિયાન ચિંતાતુર હોય છે ત્યારે આહિર યુવક મંડળ દ્વારા જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને ચૌદ સો કિલો વિનામૂલ્યે  ફરસાણ મીઠાઈની કિટોનું  વિતરણ કરવામાં આવતાં જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયુંછે આહિર યુવક મંડળ દ્વારા દર વર્ષે મીઠાઈ ફરસાણના વિતરણ માટે આયોજન કરવામાં આવેછે જેમાં દાતાઓ દ્વારા તન મનથી સાથ સહકાર આપવામાં આવેછે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon