શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ માં 'ગણેશ ઉત્સવ' નું આયોજન કરવામાં આવ્યું હતુ - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ માં ‘ગણેશ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું હતુ


(અજય ચૌહાણ દ્વારા)
આ ઉત્સવ કુલ સાત દિવસ માટે રાખવામાં આવ્યો હતો.જેમાં રોજ સવાર - સાંજ દાદા ની આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું. આ ઉત્સવ માં શાળાના તમામ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તથા શિક્ષકો ખૂબ જ પ્રેમથી ગણપતિ બાપ્પાની સેવા-અર્ચના માં જોડાયા હતા.સાતમા દિવસે શાળામાં મહાઆરતી પ્રસાદ અને ગરબાનું આયોજન કરાયું હતું અને અંત માં દાદા ને અન્નકૂટ ધરાવીને સામૂહિક આરતી કરીને ' ગણપતી બાપ્પા મોરિયા, મોરિયા રે બાપ્પા મોરિયા રે.. નાદ સાથે શ્રી યોગીરાજ વિદ્યામંદિર નાં પ્રાંગણને ભક્તિમય બનાવી આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.