ઘંટેશ્વરમાં એસઆરપીમેનનું બેભાન હાલતમાં મોત: પત્નિએ થોડા દિવસ પહેલા જ આપઘાત કર્યો’તો - At This Time

ઘંટેશ્વરમાં એસઆરપીમેનનું બેભાન હાલતમાં મોત: પત્નિએ થોડા દિવસ પહેલા જ આપઘાત કર્યો’તો


જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ બ્લોક 18 ક્વાર્ટર નં. 210માં રહેતાં એસઆરપીમેન અતુલભાઇ રમણલાલ ગામીત (ઉ.વ.39) ગઇકાલે પોતાના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મોત અતુલભાઈને મૃતજાહેર કર્યા હતા.તેઓને લિવરમાં તકલીફ હોવાથી મૃત્યુ થયાનું તપાસમાં ખુલ્યું હતું.
થોડા દિવસ પહેલા જ અતુલભાઇના પત્નિ પ્રિતીકાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.માતા બાદ પંદર દિવસના અંતરે બે દિકરીઓએ પિતા પણ ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.અતુલભાઇ રવિવારે બપોરે ત્રણેક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં.પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી.આર.રત્નુએ જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે,એસઆરપીમેન અતુલભાઇના પત્નિ પ્રિતીકાબેન (ઉ.વ.33)એ ગત.22મીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પ્રિતીકાબેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતાં હોઇ તે બાબતે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થયા બાદ પતિ અતુલભાઇ ગામિત પરેડ કરવા ગયા બાદ ઘરે આવ્યા ત્યારે પત્નિ લટકતાં જોવા મળ્યા હતાં. અગિયાર વર્ષના લગ્ન જીવનમાં આ દંપતિ બે દિકરીના માતા-પિતા બન્યા હતાં.આ બંને દીકરીએ પખવાડીયામાંજ માતા બાદ પિતા પણ ગુમાવતાં અરેરાટી મચી ગઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon