આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ શિહોર તાલુકા દ્વારા સિહોર શહેરમાં જરૂરિયાત મંદ વિસ્તારમાં સાડીનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ શિહોર તાલુકા દ્વારા સિહોર શહેરમાં જરૂરિયાત મંદ વિસ્તારમાં સાડીનું વિતરણ કરવામાં આવ્યું


આજ રોજ સિહોર શહેરમાં "વસ્ત્રદાન અભિયાન" અંતર્ગત સિહોર શહેરમાં વિવિધ જરૂરિયાત મંદ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું,*આ કાર્યક્રમ જેમનું બહુમુલ્ય યોગદાન રહ્યું હોય એવા ભાવનગર જીલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ શ્રી મુકેશભાઈ લગાળીયા દ્વારા 60 નવી સાડી નું દાન કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવક ના યુવાનો દ્વારા જે 150 જોડી કપડાં એકત્રિત કર્યા હતા તેનુ પણ દાન કરવામાં આવ્યું હતું ,

જેમાં ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ લગાળીયા. ગુજરાત પ્રદેશ અનુસુચિત જનજાતિ ના મંત્રી શ્રી અનીલભાઈ ગોહિલ,જીલ્લા ઉપપ્રમુખ શ્રી દિપ્તીબેન ત્રિવેદી.હંસાબેન પરમાર,જીલ્લા મંત્રી હીનાબેન ગઢાદરા,સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિ.ડી.નકુમ.સિહોર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ ચૌહાણ,જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી ધ્રુવભાઈ ભટ્ટ તેમજ સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સંયોજક માયાભાઈ આહીર, રાહુલ ગોહિલ, મેઘરાજાસિંહ ગોહિલ,રૂષિ ત્રિવેદી કૌશલ્ય માવાણી, દિવ્યેશ ભટ્ટ હાજર રહ્યા હતાં
સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ નો આ કાર્યક્રમ માં લોકો ના ચેહરા પર આવતી ખુશી જોઈ અને આ કાર્યક્રમ માં કરેલ યથાર્થ મહેનત રંગલાવી અંદર થી આવા નેક કામ કરવા માટે ની પ્રેરણા મળી ખુબ આનંદ થયો. રીપોર્ટ અશોકભાઈ ઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon