વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્રારા લુણાવાડા ખાતે જિલ્લા બેઠક યોજાઈ. - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્રારા લુણાવાડા ખાતે જિલ્લા બેઠક યોજાઈ.


આજરોજ લુણાવાડા જિલ્લાની વિ. હિ. પ. અને બજરંગ દળની જિલ્લા બેઠક બ્રાઈટ ડે સ્કૂલ લુણાવાડા ખાતે યોજવામાં આવી હતી.જેમાં પદાધિકારીઓ ડૉ. ગીરીશભાઇ નલવાયા દક્ષિણ પ્રાત. (નિવૃત્ત કલેકટર.) કે.જી. પટેલ દક્ષિણ ગુ. સહસેવા પ્રમુખ(. નિવૃત્ત આચાર્ય) દિલીપભાઈ રાણા. અને વિભાગ મંત્રી. રામભાઈ ભરવાડ વિભાગીય સંગઠન મંત્રી,જિલ્લા ઉપાધ્યક્ષ ઝવરાભાઈ મછાર.જિલ્લા મંત્રી દિપકભાઈ ડેરીવાળા. શ્રીમતિ કાજલબેન પી. શાહ જિલ્લા ઉપાધ્યક્ષ તથા અગિયાર પ્રખંડના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણેં જણાવ્યું હતું કે સંસ્કૃતિ માટે વફાદાર અને સિહ જેવી ગર્જના કરીએ અને સંગઠીત શક્તિ ઊભી કરીશું. વિદેશમાં રહેતા ભારતીય સંસ્કૃતિની ચિંતા કરી રહ્યા છે. અને તેઓ જણાવ્યુ હતુ કે ધર્મ નું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.અને વધુમાં જિલ્લાની સમિતિમાં જવાબદારી ઉમેરવામાં આવી હતી.તેમજ આ માસમાં આવતા ઉત્સવ માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધન, બજરંગ દળ દ્વારા ૧૪ ઑગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન, જન્માષ્ટમી મહોત્સવ એટલે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ તદુપરાંત અન્ય ઉત્સવ ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon