રણછોડદાસ હોસ્પીટલ રાજકોટ અને વિધાભારતી ટ્રસ્ટ ચિતલ આયોજીત ૮૭ મો નેત્ર નિદાન કેમ્પ સફળતા પૂર્વક સંપન્નઃ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uuabbcsotcedxatc/" left="-10"]

રણછોડદાસ હોસ્પીટલ રાજકોટ અને વિધાભારતી ટ્રસ્ટ ચિતલ આયોજીત ૮૭ મો નેત્ર નિદાન કેમ્પ સફળતા પૂર્વક સંપન્નઃ


રણછોડદાસ હોસ્પીટલ રાજકોટ અને વિધાભારતી ટ્રસ્ટ ચિતલ આયોજીત ૮૭ મો નેત્ર નિદાન કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન
ચિતલ ખાતે દર મહિના ની ૨૬ મી તારીખે યોજાનાર ૮૭ મા કેમ્પ જેમની કર્મભૂમિ ચિતલ હતી અને હાલ અમેરિકા વસ્તા ડો. રાજેશભાઇ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ના સહયોગ થકી યોજવામા આવેલ.
જેમાં કેમ્પ ના ઉદઘાટક તરિકે અવધ ટાઇમ્સ ના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા દિપ પ્રાગટય દ્વારા ખુલ્લો મુકવામા આવેલ. આ કાર્યક્રમ નું પ્રમુખ સ્થાને શ્રી મનુભાઇ દેસાઇ અને મૂખ્ય મહેમાન તરીકે ડો. પી પી પંચાલ સાહેબ,શ્રી પરેશભાઇ આચાર્ય , શ્રી દિનેશભાઇ ભુવા, શ્રી દવે સાહેબ,શ્રી સુખદેવસિંહ સરવૈયા વિ ઉપસ્થિત રહ્યા હતા .
ડો રાજેશભાઇ અને ડો ઉષાબેન આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી તેમના ચિતલ ના સંસ્મરણો ને વાગોળ્યા હતા અને મહાનુભાવો સર્વ શ્રી ડો. કાંતિભાઇ જોશી ,શ્રી બાબુભાઇ મોણપરા,શ્રી સુરેશભાઇ પાથર , શ્રી મનસુખભાઇ ઉંધાડ,શ્રી કાળુભાઇ ગોહિલ,શ્રી સંજયભાઇ મહેતા,શ્રી હસુભાઇ દવે ,શ્રી કાનજીભાઇ દેસાઇ , શ્રી જે બી દેસાઇ સહિત ના અનેક આગેવાનો નું યથોચિત સન્માન કરી ઋણ મુક્ત થયા હતા .આ કાર્યક્રમ નું પ્રવાહી અને સફળ સંચાલન મૂળ ચિતલ ના વતની અને હાલ રાજકોટ રહેતા શ્રી સંજય મહેતા દ્વારા કરવામાં આવેલ હતુ .શ્રી મનુભાઇ દેસાઇ, શ્રી ભરતભાઇ ચૌહાણ , શ્રી મનસુખભાઇ નાડોદા અને નિતીનભાઇ લિંબાશીયા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા વિધાભારતી ટ્રસ્ટ ના ઇતેશભાઇ મહેતા,શ્રી દિનેશભાઇ મેસીયા,શ્રી રાજુભાઇ ધાનાણી,શ્રી બિપીનભાઇ દવે, શ્રી સંજય લીંબાસીયા ,શ્રી રવજીભાઇ બાબરીયા , શ્રી ખોડાભાઇ ધંધુકીયા , શ્રી છગનભાઇ દેસાઇ , શ્રી રમેશભાઇ સોરઠિયા, શ્રી છગનભાઇ કાછડીયા, શ્રી વિશાળભાઇ સેજપાલ અને વિઠલભાઇ કથીરીયા કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબજ જહેમત ઉઠાવી હતી. વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]