આજરોજ તરણેતર ખાતે લોકમેળામાં ત્રિનેત્રેશ્ચર મહાદેવ ના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબે મુલાકાત લીધી. - At This Time

આજરોજ તરણેતર ખાતે લોકમેળામાં ત્રિનેત્રેશ્ચર મહાદેવ ના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબે મુલાકાત લીધી.


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર વિશ્વ પ્રખ્યાત મેળામાં ગુજરાતના સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ તથા તમામ નેતાઓએ હાજરી આપી. તેમજ ત્રિનેત્રેશ્વર મહાદેવ નાં દર્શન કરી ભોળાનાથ ની પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી. ગુજરાતના તરણેતરનો વિશ્વ પ્રખ્યાત મેળો ઋષિ પાંચમ નો મેળો માનવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી મેળાની મોજ માણવા આવે છે. ત્યાં અનેક સ્થળો ફરવા લાયક સ્થળો પણ છે. આ મેળામાં જુદા જુદા જાતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી. ડોક્ટર મુજપરા સાહેબ, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, મંત્રી શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, કલેક્ટર શ્રી કે.સી.સંપટ સાહેબ, શંકરભાઈ વેગડ, તરણેતર સરપંચ શ્રી અશોકસિંહ રાણા, થાનગઢ તાલુકા પ્રમુખ લીલાબેન ડોડીયા, શ્રી વિજયભાઈ ભગત, શ્રી દિલીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
at this time news sayala
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon