બાલાસિનોરમાં હોમિયોપેથિક સેમિનાર યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/urriikeuzvrxkx8k/" left="-10"]

બાલાસિનોરમાં હોમિયોપેથિક સેમિનાર યોજાયો


બાલાસિનોર મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ વાર હમિયા મહીસાગર યુનિટ દ્વારા હોમિયોપેથીક અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના સિનિયર હોમિયોપેથ ડો.સુનીલ ત્રિવેદીસર દ્વારા સર્જીકલ કેસીસમાં હોમિયોપેથીક ચિકિત્સાના રોલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ડો.પ્રશાંત શાહ (ખજાનચી હમીયા ઇન્ડિયા, પાસ્ટ પ્રેસીડન્ટ હમીયા ગુજરાત) ડો.પિયુષ ભાઈ જોશી(સેક્રેટરી જનરલ hmai ઇન્ડિયા) ડો. અંકુર દેસાઈ (સેક્રેટરી હમીયા ગુજરાત), ડો. રાકેશ શાહ (જોઈન્ટ સેક્રેટરી હમીયા ગુજરાત), ડો. પ્રવીણ પંડ્યા હમીયા ઠાસરા હાજર રહ્યાં હતા. સિનિયર હોમિયોપેથિ ડોક્ટર નગીન કાકાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. અજય ચુડાસમા ડો. સી એન પટેલ ડો.રાકેશ શાહે,ડો. જીજ્ઞેશ શાહે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]