મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ખરસોલી ગામના (ભાટોડા) ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષ ની લાશ મળી આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uovfqdu9qhfslhv0/" left="-10"]

મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ખરસોલી ગામના (ભાટોડા) ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષ ની લાશ મળી આવી.


મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ખરસોલી ગામના (ભાટોડા) ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષ ની લાશ મળી આવી.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખરસોલી (ભાટોડા) ખેતરમાંથી 65 વર્ષના એક પુરુષ ની લાશ મળી આવી જેમાં મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના વડાઝાંપા ગામમાં રહેતાં કાળુભાઇ ખાંટ ના દિકરા લક્ષ્મણભાઈ ખાંટ જેવો 65 વર્ષના હોય અને તેવો માનસિક રીતના બિમારી થી પીડિત હતા. અને તેવો ની 5 ફેબ્રુઆરી ના રોજ સંતરામપુર તાલુકાના ખરસોલી (ભાટોડા) ખેતરમાંથી વહેલી સવારે લાશ મળી આવેલ હતી. જેથી આ બનાવની જાણ સ્થાનિક રહીશો એ પરીવાર જનો ને કરતા પરીવાર માં તેમજ ગ્રામજનો માં દુઃખ નો માહોલ છવાયો હતો.
પરીવાર જનો એ આ બનાવની જાણ સંતરામપુર પોલીસ ને કરતા સ્થળ પર તાત્કાલીક દોડી આવેલ હતા. અને લાશને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તથા આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]