મોટા ખુંટવડા ખાતે સંતશ્રી વેલનાથ બાપાની જન્મજયંતી નિમિત્તે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ulyljvuwf3qghg6p/" left="-10"]

મોટા ખુંટવડા ખાતે સંતશ્રી વેલનાથ બાપાની જન્મજયંતી નિમિત્તે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે સમસ્ત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંતશ્રી વેલનાથ બાપાની જન્મજયંતી નિમિત્તે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતશ્રી વેલનાથ બાપાની શોભાયાત્રા વેલનાથ બાપાની જગ્યામાંથી નીકળી ગામતળ વિસ્તારમાં દાદાબાપાના મંદિરે પહોંચી હતી અને દાદા બાપાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ અષાઢી બીજ મહોત્સવમાં જન ચેતના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનુભાઈ ચાવડા તથા સમસ્ત ચુંવાળીયા કોળી સમાજના દરેક ભાઈઓ તથા બહેનો માતાઓ અને વડીલો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]