ખંભાળિયાના જલારામ મંદિરે આંબાનો મનોરથના દર્શન યોજાયા - At This Time

ખંભાળિયાના જલારામ મંદિરે આંબાનો મનોરથના દર્શન યોજાયા


જામ ખંભાળિયા: ખંભાળિયાના જાણીતા જલારામ બાપાના મંદિર ખાતે ગઈકાલે ગુરૂવારે સાંજે આંબા મનોરથના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જલારામ બાપાના મંદિર સાથે આ પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ સહિતના સ્થળોએ કેરીની પ્રસાદીના દર્શન યોજાયા હતા.

આ ઉપરાંત પુજ્ય જલારામ બાપા, વીરબાઈમાં, રામ-લક્ષ્મણ-જાનકીને પણ સુંદર વસ્ત્રો વડે સુશોભિત કરી, મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon