વ્યાજ ખોરો ને ડામવા જામ રાવલ ખાતે લોક દરબાર નું આયોજન - At This Time

વ્યાજ ખોરો ને ડામવા જામ રાવલ ખાતે લોક દરબાર નું આયોજન


જામ રાવલ ખાતે નાયબપોલીસ અધિક્ષક ની પ્રજાપતિ સાહેબ નીહાજરીમાં વ્યાજ ખોરી ને ડામવા લોક દરબાર યોજાયો .

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે વ્યાજખોરીના દુષણને અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા પોલીસ ખૂબ સક્રિય થઈ છે ,તેના અનુસંધાને રાવલ ની સોરઠીયા પ્રજાપતિ સમાજ ખાતે પોલીસ લોકદરબાર યોજાયો હતો ,
જેમાં અધ્યક્ષ સ્થાને પોલીસ નાયબ અધિક્ષક શ્રી પ્રજાપતિ સાહેબ અને રાવલ ના psi, શુકલા સાહેબ, કલ્યાણપુરના પી.એસ.આઇ.સવસેટાસાહેબ અને પોલીસ સ્ટાફ હાજર રહયો હતો.
મોટી સંખ્યામાં ગ્રામજનો,વેપારીઓ, બેન્ક કર્મી ઓ હાજર રહ્યા હતા, જેમાં વ્યાજખોરી ના અલગ અલગ વિષયો અનુસંધાને ચર્ચા કરવામાં આવી હતી ,અને ગ્રામજનોના સૂચનો લેવામાં આવ્યા હતા.
અને આવું થતું હોય તો તુરંત નિર્ભય પણે પોલીસ જાણ કરવા કહેવાયું હતું.

અને રાવલ ગામ નો પ્રજાપતિ સમાજ, આહીર સમાજ,અને રાવલ ભાજપ શહેર પરિવાર દ્વારા dysp પ્રજાપતિ સાહેબ ને સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon