સંજોગોવશાત અમૂલ્ય ચક્ષુદાન શક્ય બનેલ નથી. - At This Time

સંજોગોવશાત અમૂલ્ય ચક્ષુદાન શક્ય બનેલ નથી.


તા.૦૪.૧૧.૨૦૨૨,શુક્રવાર.કારતક સુદ એકાદશીના દિવસે માંગરોળ તાલુકાના શાપુર(શારદાગ્રામ)ના રહેવાસી તેમજ માંગરોળ યંગ જાયન્ટ્સ ગૃપના પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ કરગઠિયાના પિતાશ્રી સ્વ.પીઠાભાઈ લક્ષ્મણભાઈ કરગઠિયા (ઉ.વ.૫૭)નું દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ માટે સિવિલ હોસ્પિટલ માંગરોળ(ટી.બી.વિભાગ)ના પ્રતાપભાઈ પરમારે શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયાને જાણ કરેલ આથી ગોવિંદભાઈ વાળા,નાથાભાઈ નંદાણિયા તેમજ સતીષભાઈ જોટવા સિવિલ હોસ્પિટલ માંગરોળ ખાતે ગયેલ પરંતુ અમુક સમય મર્યાદાના કારણે ચક્ષુદાન શક્ય બનેલ નથી.તે બદલ શિવમ્ ચક્ષુદાન આરેણા ક્ષમા માગે છે.
કરગઠિયા પરિવારની સ્વ.પીઠાભાઈના ચક્ષુનું દાન કરવાની પુરી તૈયારી હતી.આ પરિવાર દ્વારા અગાઉ પણ વર્ષ- ૨૦૧૬માં સ્વ.પીઠાભાઈના માતૃશ્રીનું ચક્ષુદાન કરેલ છે તેમજ આ પરિવાર ચક્ષુદાન,રક્તદાન તેમ્જ વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે પરંતુ આજના દિને સ્વ.પીઠાભાઈનું ચક્ષુદાન થયેલ નથી તે બદલ શિવમ્ ચક્ષુદાન આરેણા દિલગીરી વ્યક્ત કરે છે.અને તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે.

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon