પ્રાકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો. - At This Time

પ્રાકૃતિક રીતે કેસર કેરીની ખેતીથી સમૃદ્ધ બન્યા ખેડૂત, મેળવ્યો રૂ.4 લાખનો ચોખ્ખો નફો.


તમે કેટલાય ખેડૂતોને પરંપરાગત પાકની ખેતીથી હટી કંઇક અલગ વાવેતર કરી લાખોની કમાણી કરતા જોયા હશે. આજે આપણે અરવલ્લી જીલ્લાના એવા જ એક ખેડૂતની વાત જણાવીશું જેણે પ્રાકૃતિક કેરીની ખેતી કરી લાખોની કમાણી કરી છે.

અરવલ્લીના રવીપુરા કંપામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ પહેલાં કપાસ, એરંડા અને ઘઉંની ખેતી કરતા હતાં જેમાં તેમને બહું સારું વળતર મળતું ન હતું. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડયું. બાયાગત ખાતા દ્વારા ફળ પાકના સંગ્રહ કરવા માટે ઓન ફાર્મ પેક હાઉસ બનાવવા રૂ.2 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી.

યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા જીતેન્દ્રભાઈ પટેલે તેમના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક કેસર કેરીની ખેતી કરી. છેલ્લા વર્ષ 2019-2022 માં તેમને 2.75 લાખનો ખેતી ખર્ચ કરી કેરીની ખેતી કરી. જેનું ખૂબ સારું ઉત્પાદન થયું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રવી ઓર્ગેનિક કેસર મેંગો નામનું વેબ પેજ બનાવી તેનું વેચાણ 4 લાખ જેટલો નફો મેળવ્યો છે.આ નફો તેમની પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતા પણ વધારે છે.

આ નફાની રકમ, માર્ગદર્શન, સહાયને જોતા જિલ્લાના અન્ય ઘણાં ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા પ્રેરિત થયા છે. તેમની આસપાસના ઘણા ખેડૂતોએ તો બાગાયતી ખેતી કરવાનું શરૂ પણ કરી દીધું છે

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon