શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય - At This Time

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય


ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૧ નવેમ્બરનાં રોજ ભાલ વિસ્તારનાં ભડભીડ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૬૨ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી ,શ્રી નીર્મોહિબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડનાં H.R ડિપાર્ટમેન્ટનાં શ્રી સુરેશભાઈ ધાંધલીયા અને ગામનાં સરપંચ શ્રી જડીબહેન તથા આચાર્ય શ્રી દિનેશભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શ્રી ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon