અમદાવાદના મેઘાણીનગર માં આવેલા ફોરેન્સિક લાયબેરી થી મીના બઝાર સુધી નો રોડ બિસ્માર હાલતમાં ઘણા સમય થી જોવા મળી રહ્યો છે પણ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી હજારો વાહન ચાલકો અને અહિયાના વેપારી લોકો પરેશાન
અમદાવાદના મેઘાણીનગર માં આવેલા ફોરેન્સિક લાયબેરી થી મીના બઝાર સુધી નો રોડ બિસ્માર હાલતમાં ઘણા સમય થી જોવા મળી રહ્યો છે પણ કોર્પોરેશનના પેટનું પાણી હાલતું નથી હજારો વાહન ચાલકો અને અહિયાના વેપારી લોકો પરેશાન........
છેલા ઘણા ટાઇમ થી આ રસ્તો બિસ્માર જોવા મળી રહ્યો છે આ રસ્તા ઉબડ ખાબડ થઇ ગયા હોવાથી લોકો ની કમરતોડ સમાન બની રહ્યો છે
આ માર્ગ મેઘાણીનગર , કુબેરનગર નરોડા મેમ્કો પાટિયા અને સૈજપુર જતો મુખ્ય માર્ગ છે અને દિવસ\ રાત આ રસ્તા પર વાહન નો ની અવર જવર ચાલુ હોય છે
છતાં આ રસ્તા ને રીફ્રેસ કરવા માં આવતો નથી તેથી આ માર્ગ પર જતા આવતા લોકો ત્રાહિમ પોકારી ગયા છે અનેક વખત અહિયાં ના વેપારી એસોસિએશન દવ્રારા લેખિત અને મોખિક ફરિયાદ કરી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન નું દયાન લેતું નથી તેથી લોકો માં રોષ જોવા મળી રહ્યો છે...
આ રસ્તા પર અનેક અધિકારી, મંત્રી અને કોર્પોરેટરની ઓફીસ આવેલી હોવા છતાં તંત્ર નું પેટનું પાણી હાલતું નથી વેલી તકે આ રસ્તા ને રીપેર કરવો જોઈએ નહી તો આગામી સમય માં ચોમાસું હોવાથી વરસાદ થી આ રોડ વધુ બિસ્માર હાલતમાં જોવા મળશે સ્થાનિક લોકો ની માંગ છે વેલી તકે આનો નિકાલ લાવવો જોઈએ.......
એટ ધીસ ટાઇમ ન્યુઝ દિનેશ સોલંકી અમદાવાદ.......
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.