મેંદરડા ખાતે શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩મી જન્મ જયંતીની ધામધૂમ ઉજવણી કરવામાં આવેલ જેમાં રામાનંદી સાધુ સમાજના બહોળી સંખ્યામાં લોકો જોડાયા - At This Time

મેંદરડા ખાતે શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩મી જન્મ જયંતીની ધામધૂમ ઉજવણી કરવામાં આવેલ જેમાં રામાનંદી સાધુ સમાજના બહોળી સંખ્યામાં લોકો જોડાયા


મેંદરડા ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય
મેંદરડા સ્થિત ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ ના સાનિધ્યમાં મહોત્સવનું આયોજન કરવામાં આવેલ
મેંદરડા તાલુકા શ્રી રામાનંદી સાધુ સમાજ તેમજ રામાનંદી નવનિર્માણ સેના આયોજિત જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૩મી જન્મ જયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા રામાનંદી સાધુ સમાજના ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બહારગામ થી પધારેલા આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા
આ કાર્યક્રમ તા૧૪/૧ નારોજ ૩ થી ૭ દરમ્યાન યોજવામાં આવેલ જેમાં ખાસ કરીને સૌ પ્રથમ જગતગુરુ શ્રી રામાનંદા ચાર્યજી મહારાજનું વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવામાં આવેલ બાદ સમાજના મહાનુભાવો નુ સ્વાગત અને સન્માન કરવામાં આવેલ બાદ મહંત સુખરામદાસ બાપુ દ્વારા ધર્મસભા સંબોધન કરી આશીર્વચન પાઠવી સમાજ માટે પ્રેરણા સ્ત્રોત ઉદબોધન આપેલ તેમજ સમૂહમાં હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવેલ તેમજ મનિષાબેન ભરતભાઈ નેનુજી દ્વારા તમામ નાના-મોટા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપ ઈનામ વિતરણ કરવામાં આવેલ અને અંતમાં ભોજન પ્રસાદ સાથે લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon