માંગરોળ તાલુકાના લોએજ ગામમાં નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tnldsgjo65etcqhl/" left="-10"]

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

માંગરોળ તાલુકાના લોએજ ગામમા રહેતા સ્વ.કવિબેન ભીખાભાઈ નંદાણિયા ઉ.વર્ષ.૭૨નું આજ રોજ તા.૨૩.૦૧.૨૦૨૩ ને સોમવાર,મહા સુદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી લોએજ ગામના સામાજીક અગ્રણી શ્રી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાનના સંચાલકશ્રીનો સંપર્ક કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને ગોવિંદભાઈ વાળા P.H.C.શીલ દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાનના કાર્યકર દિવ્યેશભાઈ ઘેરવડા અને સતિષભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.
ચક્ષુદાન લેતી વખતે દિનેશભાઈ સોલંકી સહાયક રહ્યા હતા.

નંદાણિયા પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

નંદાણિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.કવિબેન ને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ કવિબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]