ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે પર બસ 60 ફૂટ નીચે પડી:રેલિંગ તોડીને ખાઈમાં ઝાડ પર લટકી બસ, 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત, 26 ઘાયલ - At This Time

ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે પર બસ 60 ફૂટ નીચે પડી:રેલિંગ તોડીને ખાઈમાં ઝાડ પર લટકી બસ, 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત, 26 ઘાયલ


ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બસ રેલિંગ તોડીને 60 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. ખાઈમાં બસ ઝાડ પર લટકી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 26 ઘાયલ થયા હતા. બસમાં 29 ભક્તો હતા. મૃતક મહિલાઓ હલ્દવાની, ઉધમસિંહ નગર અને નૈનીતાલની રહેવાસી હતી. ઘાયલોમાં બરેલી, યુપીના 5, બુલંદશહર અને મેરઠના 1-1 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે. બાકીના તમામ ઘાયલો ઉત્તરાખંડના જ છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ, એમ્બ્યુલન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વન વિભાગની ટીમે બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા અનેક લોકોને હાયર સેન્ટરમાં રીફર કરાયા હતા. 17 ગંભીર રીતે ઘાયલોને ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા​​​​​​​
આ અકસ્માતમાં ઉત્તરાખંડના હલ્દવાનીની રહેવાસી દીપા (55)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બે ગંભીર મહિલાઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ મહિલાઓમાંથી એક નીમા કૈડા (57) રૂદ્રપુરની રહેવાસી હતી જ્યારે મીના રકવાલ હલ્દવાનીની રહેવાસી હતી. બુધવારે વહેલી સવારે 17 ગંભીર રીતે ઘાયલ લોકોને ઋષિકેશ એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યારે 9 ઘાયલોની ઉત્તરકાશીની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એસપીએ કહ્યું- ભક્તો ગંગોત્રી ધામના દર્શન કરીને ઉત્તરકાશી જઈ રહ્યા હતા
એસપી ઉત્તરકાશી અર્પણ યદુવંશીએ કહ્યું- તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલાઓના મોત થયા છે. જ્યારે 26 શ્રદ્ધાળુઓને સારવાર માટે એઈમ્સ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ યાત્રીઓ ગંગોત્રી ધામના દર્શન કરીને ઉત્તરકાશી તરફ આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસ બેકાબુ થઈ ગઈ અને ખાઈમાં પડી ગઈ. આ દરમિયાન ડીએમ મેહરબાન સિંહ બિષ્ટ રાત્રે જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તમામ શ્રદ્ધાળુઓના ખબર-અંતર પૂછ્યા હતા. સીએમ ધામીએ તાત્કાલિક હોસ્પિટલોને એલર્ટ કરી હતી
રાત્રે અકસ્માત થતાં જ સીએમ પુષ્કર સિંહ ધામીએ સંજ્ઞાન લીધું હતું. જિલ્લા વહીવટીતંત્રને જિલ્લા હોસ્પિટલ સહિતના ઉચ્ચ કેન્દ્રોને એલર્ટ પર રાખવા અને જો જરૂરી હોય તો તેમને એરલિફ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ધામીએ સોશિયલ મીડિયા X પર રાત્રે 10:16 વાગ્યે લખ્યું- ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગંગનાની પાસે બસ દુર્ઘટનાના દુ:ખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. હું બાબા કેદારને પણ દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરું છું. અકસ્માતમાં 26 શ્રદ્ધાળુઓ ઘાયલ​​​​​​​


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.